અમદાવાદઃ કોરોના વાયરસ (Coronavirus)ને સંક્રમણને રોકવા માટે ભારત (India)માં 25 માર્ચથી લાગુ કરી દેવામાં આવ્યું હતું. આ પહેલા કેન્દ્ર સરકારે તમામ આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ્સની અવર-જવર પર પ્રતિબંધ મૂકી દીધો હતો. જેના કારણે વિદેશમાં ફસાયેલા ભારતીયોને વતનમાં આવવાના તમામ રસ્તા બંધ થઈ ગયા હતા. પરંતુ બાદમાં મોદી સરકારે વંદે ભારત મિશન હેઠળ (Vande Bharat Mission) વિદેશમાં ફસાયેલા ભારતીયોને સ્વદેશ પરત લાવવાનું મોટું અભિયાન હાથ ધર્યું.